Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

વડોદરાના જુદા જુદા બે વિસ્તારમાં બે યુવાને અગમ્ય કારણોસર ફાસો ખાઈ મોતનેવહાલુ કર્યું

વડોદરા: ન્યૂ વી.આઇ.પી.રોડ પર રહેતા ૨૯ વર્ષના અપરિણીત યુવક અને કિશનવાડીમાં રહેતા  બે સંતાનના પિતાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા  પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,ન્યૂ વી.આઇ.પી.રોડ પર સાંઇદિપનગર સોસાયટીમાં રહેતો ૨૯ વર્ષનો મેહુલ કિશનભાઇ રાવળ ફેગ કંપનીમાં નોકરી કરે છે.ગઇકાલે બપોરે નોકરીથી છૂટીને તે ઘરે આવ્યો હતો.અને રૃમમાં  જઇને ઊંઘી ગયો હતો.રાતે સાડા નવ વાગ્યા સુધી તે રૃમમાંથી બહાર નહી આવતા પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો હતો.પરંતુ,તેણે  દરવાજો ખોલ્યો નહતો.દરવાજાના નકુચા પાસે કાંણું  પાડને સ્ટોપર ખોલતા અંદર મેહુલ ફાંસો ખાધેલી  હાલતમાં હતો.જેથી,હરણી પોલીસને જાણ કરવામાં આવતા એ.એસ.આઇ.અશ્વિનભાઇએ સ્થળ  પર જઇને તપાસ હાથ ધરી છે.જોકે,હજીસુધી આપઘાતનું કારણ જાણી શકાયું નથી.

અન્ય એક બનાવમાં કિશનવાડી સોની ફળિયામાં રહેતો ૩૩ વર્ષનો શૈલેષ ઇશ્વરભાઇ વસાવા બાળ  ગોકુલમમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે.તેના પત્ની ઘરકામ કરે છે.ગઇકાલે સાંજે તેણે અગમ્ય કારણોસર ઘરમાં ચાદરનો ગાળિયો બનાવી આપઘાત કરી લીધો હતો.જે અંગે પાણીગેટ પોલીસને જાણ કરવામાં આવતા એ.એસ.આઇ.ફતેસિંહે સ્થળ પર જઇને તપાસ  હાથ ધરી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગત જાણવા મળી હતી કે,શૈલેષનો સ્વભાવ સારો હતો.કોઇની સાથે ઝઘડો કે અદાવત નહતી.પરંતુ,તેણે આર્થિક સંકડામણમાં  આવીને આપઘાત કરી લીધો હોવાની શક્યતા છે.

(6:47 pm IST)