Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

અમદાવાદમાં કોરોના વકર્યો : રાજ્યના છેલ્લા 24 કલાકમાં 154 નવા કેસ નોંધાયા:વધુ 58 દર્દીઓ સાજા થયા :આજે એક દર્દીનું મૃત્યુ થયું :રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,945: કુલ 12,14.463 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 43.133 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 704 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 154 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 58 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.14.463 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.945 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.05 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 43.133 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.05.11.551 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 704 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી અને અને 704 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 154 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 80 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 22 કેસ, સુરત કોર્પોરેશનમાં 12 કેસ, વડોદરામાં 11 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 5 કેસ, મહેસાણા,સુરત અને વલસાડમાં 3-3 કેસ, અમદાવાદ, આણંદ ,ભરૂચ, ભાવનગર કોર્પોરેશન અને કચ્છમાં 2-2 કેસ, ખેડામાં 1 કેસ નોંધાયો છે 

(7:55 pm IST)