Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કોરાના મહામારી દરમિયાન વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાય રહે, રોગ પ્રતિકારક ક્ષમતા વધે તે માટે SGVP ગુરુકુલમાં દરરોજ વિષ્ણુયાગ અને ધનવન્તરી યાગ ધનવન્તરી યજ્ઞમાં બહેનો પણ જોડાયાં

અમદાવાદ તા. ૧૨ શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પૂજ્ય જોગી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં, એસજીવીપી ગુરુકુલમાં દરરોજ સવારે વિષ્ણુયાગ અને સાંજે ધનવન્તરી યજ્ઞ કરવામાં આવી રહ્યા છે.

SGVPગુરુકુલની વિશાળ યજ્ઞશાળામાં, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપક શ્રી ભગીરથભાઇ ત્રિવેદીના માર્ગદર્શન નીચે ઋષિકુમારો - તેજસ દવે, હર્ષ પંડ્યા, દર્શન જાની અને દીપ ઠાકરના સહકારથી, કોરાના મહામારી દરમિયાન સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાય રહે, રોગ પ્રતિકારક ક્ષમતા વધે, સૌ કોઇનું રક્ષણ થાય તે માટે ભગવાનને પ્રાર્થના રુપે યજ્ઞ કરવામાં આવ્યો હતો.

વૈશાખ માસની અમાસની પૂર્વ સંધ્યાએ  અમદાવાદમાં રહેતા કપડવંજ દશા પોરવાડ મહિલા મંડળના બહેનો તેના પ્રમુખ શ્રી ચેતનાબેન સહિત ધનવન્તરી યાગમાં જોડાયાં હતાં.

અને અમાસના દિવસે નારણપુરા મહિલા મંડળના બહેનો ગાયત્રીબેન જોષી, સંગીતાબેન દેસાઇ અને આયુષ્યબેન સહિત બહેનો વગેરે  જોડાયાં હતાં.

આ ધનવન્તરી યજ્ઞની ધૂમ્રસેરો અનેક રોગો સામે પ્રતિકાર ક્ષમતા વધારે છે. તેમજ યજ્ઞમાં બોલાતા વૈદિક મંત્રોચ્ચારના આંદોલનના પ્રભાવથી મનની નિર્બળતા, હતાશા, વગેરે દૂર થાય છે અને મનમાં શાંતિ થાય છે.

(12:05 pm IST)