Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

માં ખોડલ અને દેવાધિદેવ મહાદેવ આખી દુનિયાને કોરોનાથી મુકત કરે

રાજકોટ, તા. ૧૨ :. કાગવડ ખોડલધામ ખાતે આજે મળેલી સમાજની બેઠક પહેલા ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશભાઈ પટેલે પત્રકારો સાથે વાતચીત કરી હતી.

પ્રારંભે નરેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે પ્રથમ તો માં ખોડલ અને દેવાધિદેવ મહાદેવે મહામારીમાંથી આપણને સૌને થોડી રાહત આપી છે. મંદિરો પણ ખૂલ્યા છે અને જનજીવન ધીમે ધીમે રાબેતા મુજબનંુ થતુ જાય છે ત્યારે આવનારા દિવસોમાં આખી દુનિયા કોરોના મુકત થાય તે માટે હું પ્રાર્થના કરૂ છું.

(2:54 pm IST)