Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પ્રેમિકાના પરિવારે લગ્નની ના કહેતા રત્નકલાકાર પ્રેમીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરની સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પુણાગામમાં વિક્રમનગરમાં રહેતો ૩૪ વર્ષીય રવિ ઘનશ્યામભાઇ રાઠોડે ગુરૃવારે સાંજે ઘરે બેડરૃમમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મ હત્યા કરી હતી.પોલીસ સુત્રોએ કહ્યુ કે રવિની એક યુવતી સાથે આંખ મળી ગઇ હતી.તે યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો પણ યુવતીના પરિવારે તેની સાથે લગ્ન કરવાની ના પાડી હતી.તેથી તેને માંઠુ લાગી આવતા આ પગલુ ભર્યુ હતુ .તે રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. જો કે  બે માસથી બેકાર હતો. તેનો એક ભાઇ છે. આ અંગે પુણા પોલીસે તપાસ હાથ ઘરી છે.

(4:06 pm IST)