Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કોરોનાને કારણે એસટીને ૧૨૦૦ કરોડનું નુકશાન

ST કર્મચારી મહામંડળનો દાવોઃ રાહત પેકેજની માંગ

અમદાવાદ, તા.૧૨:ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર જીવલેણ સાબિત થઈ હતી અને ત્યારબાદ મ્યૂકરમાઈકોસિસનો ખતરો મંડરાયો હતો. કોરોનાથી ગુજરાત એસટી વિભાગને ૧૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાનનો દાવો કરવામાં આવ્યો છે. આ મુદ્દે ગુજરાત રાજય ST કર્મચારી મહામંડળે રાજયના સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. મહામંડળે પત્ર લખીને એક ખાસ પેકેજ ફાળવવા માંગણી કરી છે. તમને જણાવી દઈએ કે કોરોનામાં લ્વ્ વિભાગના ૧૩૦ કર્મચારીનાં મોત થયા હતા અને ૨૦૦૦થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત થયા હતા. તેમાં મોટાભાગના ડ્રાઈવર અને કંડકટરનો સંક્રમિત હતા.

કોરોનામાં ગુજરાત STના ૧૨૦૦ કરોડનું નુકસાન થયો હોવાનો દાવો કરાયો છે, ત્યારે ફરી એકવાર ગુજરાત એસટી કર્મચારી મહામંડળ મેદાનમાં આવ્યું છે અને કર્મચારીઓ માટે એક ખાસ પેકેજ ફાળવવા માટે સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે. તમને જણાવી દઈએ કે એસટી વિભાગના ૨૦૦૦ કર્મચારીઓમાંથી ૧૩૦ કર્મચારીઓએ પોતાનો જીવ કોરોનામાં ગુમાવ્યો છે. ત્યારે તેમના પરિવારને મદદરૂપ થવા માટે એસટી મહા મંડળ દ્વારા તેમની માંગણીઓને વાચા આપવામાં આવી છે. અગાઉ એસટી મહામંડળે કોરોનામાં મૃત્યું પામેલા કર્મચારીઓને શ્રદ્ઘાંજલી આપવામાં આવી હતી. ત્યારે એસ.ટી મહામંડળના સભ્યોએ બેનર લઈને સરકાર સમક્ષ અનેક માંગણીઓ કરી હતી.

કોરોના મહામારી દરમિયાન પણ મુસાફરોને કોઈ અગવડતા ન પડે તેના માટે રાજયના અમુક રૂટ પર એસટી બસ ચાલું રાખવામાં આવી હતી. લોકડાઉન વખતે પણ પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવા માટે એક શહેરમાંથી બીજા રાજયમાં પહોંચાડવા માટે ગુજરાત એસટી કાર્યરત હતી. આ સમયગાળા દરમિયાન પણ ડ્રાઈવર અને કન્ડકટર પોતાની ફરજ બજાવી રહ્યા હતા. જેથી તેમને આવા કપરાં સમયમાં યોગ્ય વળતર મેળવું જોઈએ તેમ એસટી મહામંડળે સરકારને જણાવ્યું હતું.

એસટી મહામંડળના કર્મચારીઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી કે કર્મચારીઓને કોરોના વોરિયરનું બિરુદ આપવામાં આવે. કારણ કે તેઓએ પણ જીવના જોખમે કોરોનાકાળમાં ફરજ બજાવી છે અને તે દરમિયાન તેઓ સંક્રમિત થયા હતા.

(4:23 pm IST)