Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અમદાવાદ મા ૧૪૪મી જગન્નાથ રથયાત્રા શાંતિભર્યા માહોલમાં સૌહાર્દપૂર્ણ રીતે પૂર્ણ થવા અંગે પોલીસ તંત્ર વહીવટ તંત્ર અને મહાનગરપાલિકા તંત્રને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

જનતા જનાર્દને કોવિડ સંક્રમણ નિયંત્રણ પ્રોટોકોલ પાલન સાથે નીકળેલી રથયાત્રામાં આપેલા સહયોગ માટે મુખ્યમંત્રીએ આભાર વ્યકત કર્યો

રાજકોટ તા૧૨ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૪મી જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં પૂર્ણ થવા અંગે પોલીસતંત્ર અને વહિવટી તંત્ર તેમજ મહાનગરપાલિકા તંત્રને અભિનંદન પાઠવી તેમની કાર્યપદ્ધતિને બિરદાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષની જગન્નાથ રથયાત્રા કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇનના પાલન સાથે ભકતો-શ્રદ્ધાળુઓની આસ્થાનો ખ્યાલ રાખીને નિયંત્રીતપણે યોજવામાં આવી હતી તેનો ઉલ્લેખ કરતાં નગરજનોનો પણ આ રથયાત્રા સફળતાપૂર્વક પાર પાડવામાં જે સહયોગ મળ્યો છે તેનો પણ આભાર વ્યકત કર્યો છે*. 

તેમણે આ રથયાત્રામાં સહકાર આપવા માટે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ, મહંત શ્રી દિલીપદાસજી મહારાજનો પણ આભાર માન્યો છે.

(1:47 pm IST)