Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર આજથી ખુલ્યુ

અમદાવાદઃ ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર આજે સોમવારથી ભકતો માટે દર્શન માટે ખોલવામાં આવ્યુ છે. ૧૦ વાગ્યાથી ભાવિકોને દર્શન કરવા દેવામાં આવેલ. કોરોનાની બીજી લહેરના લીધે મંદિર ૯ એપ્રિલથી દર્શનાર્થીઓ માટે બંધ હતું. દર્શન સવારે ૧૦ થી સાંજે ૭:૩૦ વાગ્યા સુધી ખુલ્લા મુકાયા છે. મંદિરના દર્શન ખંડ, પ્રદર્શન ખંડ, બુક સ્ટોલ, ગેમ્સ, પ્રેમવતી રેસ્ટોરન્ટને પણ ખોલવામાં આવેલ. રાત્રે યોજાતો વોટર શો પણ ચાલુ કરાશે. આજે રથયાત્રાના લીધે મંદિર ખોલવામાં આવ્યુ છે. જયારે અન્ય સોમવારે મંદિર બંધ રહેશે.

(3:24 pm IST)