Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સુરતના અમરોલીમાં ચોથા માળેથી નીચે પટકાતા 35 વર્ષીય યુવાનનું મોત

સુરત: શહેરના અમરોલીમાં સંચા ખાતામાં ચોથા માળેથી 29 વર્ષીય યુવાન અને અમરેલીના કોસાડ આવાસમાં બીજા માળેથી 35 વર્ષીય યુવાન નીચે પટકાતા મોતને ભેટયા હતા.

સ્મીમેર હોસ્પિટલ થી મળેલી વિગત મુજબ અમરોલીમાં આસ્થા ઇન્ડસ્ટ્રીઝમા સંચા ખાતામાં રહેતો અને ત્યાં કામ કરતો 29 વર્ષીય વિનયકુમાર વિમલકુમાર રાજપુત ગઈ તારીખ ૯મી મોડી રાત્રે ખાતાના ચોથા માળે ફી નીચે પટકાતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે વિનય કુમાર મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર નો વતની હતો તે ફોન પર વાત કરવામાં મશગૂલ હોવાથી અથવા પાળી ઉપર સૂતેલો હશે. તે દરમિયાન તે નીચે પટકાતા મોત થયું હતું.

બીજા બનાવમાં અમરોલીના કોસાડ ખાતે એસએમસી આવાસ માં રહેતો 22 વર્ષીય અશ્વિન સોમાભાઈ રાઠોડ ગઈ તારીખ 9 મોડી રાત્રે ઘરના બીજા માળે બારીમાંથી નીચે પટકાયો હતો જેથી તેને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે મોત થયું હતું. પોલીસ સૂત્રોએ તેની પત્નીનું મોત થયા બાદ માનસિક બીમારીથી પીડાતો હતો તેને સંતાનમાં એક પુત્રી છે તે સફાઈ કામ કરતો હતો આ બંને બનાવ અંગે અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:28 pm IST)