Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વડોદરાના વડસર બ્રિજ નજીક કર્ફ્યુ દરમ્યાન દુકાન શરૂ રાખવા બાબતે ઢોરમાર મારનાર બે કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા

વડોદરા:શહેરના વડસર બ્રિજ પાસે કરફ્યુના સમય બાદ  પાનનો ગલ્લો ખુલ્લો રાખનાર દુકાનદાર સામે કાર્યવાહી કરવાને બદલે માંજલપુર પોલીસ મથકના બે કોન્સ્ટેબલો દ્વારા ઢોર માર-મારવામાં આવ્યો હોવાની ઘટનામાં બંને પોલીસ જવાનોને ગણતરીના કલાકોમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હાલ કોરોનાને લઇને સરકાર દ્વારા રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. સરકારના આદેશ અનુસાર રાત્રી કર્ફ્યુનુ ચુસ્ત પાલન થાય તે માટે શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંઘ દ્વારા પણ જાહેરનામુ બહાર પાડવમાં આવ્યું છે. જોકે કેટલીક હદે શહેરમાં રાત્રી કર્ફ્યુનો અમલ થઇ રહ્યો છે. જ્યાં કર્ફ્યુનો ભંગ થતો હોય ત્યાં પોલીસ કાયદાકીય કાર્યવાહી કરતી હોય છે. ખાખી વર્દિનો દૂર ઉપયોગ કરનાર  માંજલપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલો ઠાકોરભાઇ અને હરીશ ચૌહાણ કાયદાથી ઉપરવટ જઇ કરફ્યુનો ભંગ કરી પાનનો ગલ્લો ખૂલ્લો રાખનારને મારમાર્યો હતો. પોલીસ જવાનોના કરતુતના દ્રશ્યો સીસીટીવી કેમેરામા કેદ થયા છે. જે વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ થતા પોલીસ જવાનોની કામગીરી સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો. આ ઘટનામાં DCP સંજય કામતે વહેલી સવારે માજલપુર પોલીસ મથકના બંને પોલીસ જવાન ઠાકોરભાઇ અને હરીશ ચૌહાણને સસ્પેન્ડ કર્યા. ખાખી વર્દિનો દૂર ઉપયોગ કરી સામાન્ય વ્યક્તિઓ સાથે ગુડાગીર્દી કરી પોલીસ તંત્રની રહીશહી આબરુના ધજાગરા ઉડાડતા બંને પોલીસ જવાનોને ગણતરીના કલાકોમાં સસ્પેન્ડ કરવામાં  આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

(6:33 pm IST)