Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અડાલજ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાંસ્વામિનારાયણ મંદિર સંચાલિત અતિ આધુનિક 'શારદા મણિ કોમ્યુનિટી સેન્ટર'નું ઉદઘાટન

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે તક્તીનું અનાવરણ

અડાલજ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અને મુખ્યમંત્રી  વિજય રૂપાણીની ઉપસ્થિતિમાંસ્વામિનારાયણ મંદિર સંચાલિત અતિ આધુનિક  'શારદા મણિ કોમ્યુનિટી સેન્ટર'નું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે તક્તીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
અંદાજે  ₹. 11 કરોડના ખર્ચે  2,200 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતા વાતાનુકૂલ સુવિધાવાળા  'શારદા મણિ કોમ્યુનિટી સેન્ટર'ના ઉદ્દઘાટન પ્રસંગે સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ,ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદ અને સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી  નરહરિભાઇ  અમીન, ધારાસભ્યોઓ,સ્વામિનારાયણ મંદિર -અડાલજના ટ્રસ્ટીગણ,ભાજપના હોદ્દેદારો સહિત  મહાનુભાવો,અડાલજ ગામના અગ્રણી ભાઇ-બહેનો, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા

(6:55 pm IST)