Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

અમદાવાદ સહીત નગરોમાં થાક ખાતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 459 નવા કેસ નોંધાયા:વધુ 922 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :કુલ મૃત્યુઆંક 10,983 થયો : કુલ 12.48,668 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 2.00.592 લોકોનું રસીકરણ કરાયું

-મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 4534 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 459 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 922 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.48.668 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી , રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.983 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.77 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 2.00.592 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.95.87.356 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 4534 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 18 દર્દી વેન્ટિલેટર પર છે,અને 4516 દર્દીઓ સ્ટેબલ છે .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 459 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 161 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 36 કેસ,સુરતમાં 31 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 27 કેસ, કચ્છમાં 20 કેસ, અમરેલી અને મહેસાણામાં 16-16 કેસ,વડોદરામાં 15 કેસ,સુરતમાં 14 કેસ,મોરબીમાં 13 કેસ,દેવભૂમિ દ્વારકામાં 11 કેસ, વલસાડમાં 10 કેસ, ગાંધીનગર કોર્પોરેશન,નવસારી અને રાજકોટમાં 9-9 કેસ, જામનગર કોર્પોરેશન અને પંચમહાલમાં 7-7 કેસ, પોરબંદરમાં 6 કેસ, ભાવનગર કોર્પોરેશન અને ગાંધીનગરમાં 5-5 કેસ, સુરેન્દ્રનગર અને તાપીમાં 4-4 કેસ, અમદાવાદ,બનાસકાંઠા અને પાટણમાં 3-3 કેસ,જામનગર, ખેડા અને સાબરકાંઠામાં 2-2 કેસ, આણંદ ,અરવલ્લી , ભાવનગર અને ગીર સોમનાથમાં 1-1 કેસ નોંધાયો છે

(8:11 pm IST)