Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

કોરોનાનો ગેરવહીવટ અને ચૂંટણીના અંક ગણિતને લીધે રાજીનામું દેવું પડ્યું : ધારાસભ્ય જીગ્નેશ મેવાણી

કોવિડ સંકટના સ્મારક ગેરવહીવટ માટે રાજીનામું આપ્યું હોત તો લોકો પ્રશંશા કરત

અમદાવાદ :  અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કોરોનામાં ગેરવહીવટ માટે મુખ્યમંત્રી રૂપાણીને જવાબદાર ઠેરવ્યા છે. મેવાણીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, "ગુજરાતના લોકોએ પ્રશંસા કરી હોત જો રૂપાણીએ તેમના કોવિડ સંકટના સ્મારક ગેરવહીવટ માટે રાજીનામું આપ્યું હોત."ધારાસભ્ય મેવાણીએ કહ્યું છે કે, "આ રાજીનામું 2022 ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમજ ચૂંટણીના અંકગણિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.

(11:18 pm IST)