Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનનાં પ્રમુખ મણીભાઈ પટેલે કહ્યું હતું કે કડવા પાટીદાર મુખ્યમંત્રી બન્યા તેનો આનંદ

મુખ્યમંત્રી બન્યા પછી તેઓ તમામ જ્ઞાતિ અને જાતિ ને સાથે રાખીને ચાલે.

અમદાવાદ :  ગુજરાતનું શાસન પાટીદારનાં હાથમાં આવતા જ પટેલ સેક્ટર તો ખુશ થયું છે. તો સાથે જ ખોડલાધામ અને ઉમિયાધામનાં અગ્રણીઓની પણ પ્રતિક્રિયાઓ આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલના નામનો સમાવેશ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના મોટા દાનવીરોમાં થાય છે. ત્યારે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનનાં પ્રમુખ મણીભાઈ પટેલે કહ્યું હતું કે કડવા પાટીદાર મુખ્યમંત્રી બન્યા તેનો આનંદ છે પરંતુ મુખ્યમંત્રી બન્યા પછી તેઓ તમામ જ્ઞાતિ અને જાતિ ને સાથે રાખીને ચાલે.

(8:25 pm IST)