Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

જીતનગર સબજેલના કેદીઓને અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દિવાળીમાં મીઠાઇ-નાસ્તાનું વિતરણ કરશે

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળાની અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન નામની સંસ્થા આગામી દિવાળી તહેવારમાં તા.14 નવેબરે જીતનગર ખાતે આવેલી સબજેલના દરેક કેદી ભાઈ બહેનોને મીઠાઈ અને નાસ્તાનું વિતરણ કરશે તેના માટે જેલરની પરવાનગી મેળવી લીધી હોવાનું સંસ્થાના પ્રમુખ આયુષીબેન મહાજન અને મંત્રી ધાર્મિષ્ઠાબેન પાઠકે જણાવ્યું હતું.

(10:40 pm IST)