Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ગાંધીનગર: કોલવાડના બોરકૂવા નજીક તીનપતિનો જુગાર રમતા શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા

ગાંધીનગર:જિલ્લામાં જુગારની પ્રવૃતિ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે શહેર નજીક આવેલા કોલવડા ગામના બોરકુવા ઉપર તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના પગલે પેથાપુર પોલીસે દરોડો પાડી કોલવડા ગામના ચાર શખ્સોને જુગાર રમતાં ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી ૩૧ર૬૦ની રોકડ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

ગાંધીનગર જિલ્લામાં આમ તો શ્રાવણ મહિના દરમ્યાન જુગારની પ્રવૃતિ ખુબ ફુલીફાલતી હોય છે પરંતુ હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઠેકઠેકાણે જુગારીઓ સક્રિય થઈ ગયા છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી જુગારના આવા ઠેકાણા ઉપર દરોડા પાડી રહી છે. પેથાપુર પોલીસની ટીમ પણ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે કોલવડા ગામમાં બળીયાદેવ મંદિર પાસે આવેલા જગદીશભાઈ જયંતિભાઈ પટેલના બોરકુવા ઉપર હારજીતનો જુગાર કેટલાક ઈસમો રમી રહયા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડીને અહીં જુગાર રમતાં ચાર વ્યક્તિઓને ઝડપી પાડયા હતા જેમાં વિક્રમસિંહ શંકરસિંહ વાઘેલા રહે.કન્યાશાળાની સામે કોલવડા, ગંભીરભાઈ અમરસિંહ ગઢવી રહે.પટેલ ભાગોળ કોલવડા, જગદીશભાઈ જયંતિભાઈ પટેલ રહે.પટેલ ભાગોળ કોલવડા અને પૃથ્વીસિંહ હિંમતસિંહ વાઘેલા રહે.મહાદેવવાસ કોલવડાનો સમાવેશ થાય છે. પોલીસે આ જુગારીઓ પાસેથી ૩૧૨૬૦ની રોકડ કબ્જે કરીને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:17 pm IST)