Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

સરદાર બ્રીજ પર ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો અટવાયા

ભરૂચ : શહેર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. દિવાળીના તહેવારોની શરૂઆત સાથે જ લોકોએ વતનની વાટ પકડતા વાહનોનું ભારણ વધ્યું છે અને માર્ગના સમારકામની કામગીરીને કારણે હાઈવે પર 4 KM સુધી વાહનોની કતાર જોવા મળી હતી. હાઈવે પર ગત 2 દિવસથી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ગુરૂવારે પણ ભરૂચના સરદાર બ્રીજ પર ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો અટવાયા હતા

(8:30 pm IST)