Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં અનાથ આશ્રમ બહાર ત્યજી દેવામાં આવેલ બાળક મળી આવતા ચકચાર

નડિયાદ:શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ માતૃછાયા અનાથ આશ્રમ પાસે કોઇ નવજાત બાળકને ત્યજીને જતુ રહ્યુ હતુ.બાળક રડવાનો અવાજ  આવતા અનાથ આશ્રમના સિક્યુરીટી ગાર્ડ બનાવ સ્થળે દોડી આવ્યો હતો.આ બનાવની જાણ આશ્રમ સંચાલકોને થતા બાળકની શારીરિક તપાસ કરવામાં આવી હતી.જેમાં બાળક દોઢ માસનુ હોવાનુ બહાર આવ્યુહતુ.તેમજ બાળકને શ્વાસની તકલીફ હોવાનુ બહાર આવ્યુ હતુ.આ બાદ નવજાત બાળકને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યુ હતુ.

નડિયાદ સિવિલ હોસ્પિટલમાં બાળકને લઇજતા બાળકને શ્વાસ લેવામાં તકલીફહોવાનુ બહાર આવ્યુ હતુ.આ બાદ બાળકને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યુ છે.આ બનાવની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસને થતા બનાવ સ્થળે દોડી આવી હતી.આ બાદ સમગ્ર બનાવ અંગે તપાસ હાથધરી હતી.પોલીસ ટીમે માતૃછાયા અનાથ આશ્રમની બહાર બાળક કોણ મૂકી ગયુ તે દિશામાં તપાસ હાથ ધરી હતી.આ બનાવ અંગે આશ્રમના સંચાલકા ેદ્વારા બાળ સુરક્ષા વિભાગને જાણકરવામાં આવી હતી.આ બનાવ અંગે પશ્ચિમ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:28 pm IST)