Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું : 11 જિલ્લા અને એક મહાનગરમાં એકપણ કેસ નહીં

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 268 નવા કેસ નોંધાયા હતા જ્યારે 281 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.67 ટકા પર પહોંચ્યો છે.જે 13 જિલ્લામાં કોરોનાનો નવો કેસ નથી નોંધાયો તેમાં અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, ડાંગ, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, વલસાડ એમ કુલ 11 જિલ્લા અને એક કોર્પોરેશનનો સમાવેશ થાય છે.

રાજ્યમાં હાલ 1767 એક્ટિવ કેસ છે, જેમાંથી 28 લોકો વેન્ટિલેટર પર અને 1739 લોકો સ્ટેબલ છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4400 પર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 281 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,58,551 પર પહોંચી છે.

(12:45 am IST)