Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વડોદરાના સાવલી તાલુકાના રાણીયા ગામે પરિણીતા સાથે આડા સંબંધની શંકાએ યુવાનની હત્યા થતા અરેરાટી

વડોદરા:સાવલી તાલુકાના રાણીયા ગામે પરિણીતા સાથે આડાસંબંધની શંકાએ યુવાનની હત્યા થઈ હતી. અંગેની વિગત એવી છે કે પોઇચા ગામે જયેશ ભોગીલાલ પટેલના ખેતરમાં કામ કરતા 40 વર્ષીય સનાભાઈ નાયક તા.10ની સાંજે ખેતરમાં બટાકા સાચવવા ગયા હતા અને ઘેર પરત ફર્યા ત્યારે માથામાંથી લોહી નીકળતું હતું

અંગે પત્નીએ પૂછપરછ કરતા રાણિયા ગામની સીમમાં રહેતા સંજય રાઠોડે વાસનો બામ્બુ માથામાં માર્યો હોવાનું કહ્યું હતું ત્યારબાદ ઇજાગ્રસ્ત સનાભાઇને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં ગઈકાલે સાંજે બેભાન અવસ્થામાં સનાભાઇ નું મોત થયું હતું

મૃતક શનાભાઇની પત્ની મંજુલાએ પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પતિ સાથે અગાઉ સંજય રાઠોડ ની પત્ની આશા સાથે આડા સંબંધ બાબતે ઝઘડો થયો હતો તેની અદાવત રાખી સંજય રાઠોડે પતિને માર્યો હતો જે તે વખતે પતિ સાઈકલ પરથી પડી ગયો તેમ જણાવી સારવાર કરાવી હતી પરંતુ પોલીસે પૂછપરછ કરતા સંજયે માર માર્યો હતો તે કબૂલાત કરવી પડી હતી અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

(5:39 pm IST)