Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સુરતના જુદા જુદા બે વિસ્તારમાં માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધ સહીત મહિલાએ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી

સુરત: શહેરના ઉધનામાં મહિલા અને ગોડાદરામાં વૃદ્ધે માનસિક બીમારીને લીધે આત્મહત્યા કરી મોતને વહાલું કર્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ઉધનામાં આવેલા ખરવરનગરમાં બિલ્ડીંગ નંબર 18 માં રહેતા 46 વર્ષીય ભાવનાબેન દિનેશભાઈ બુહારીવાલા શુક્રવારે સવારથી બપોર દરમિયાન ઘરમાં અભરાઈ ના લોખંડના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી

પોલીસે કહ્યું હતું કે ભાવનાબેન છેલ્લા 20 વર્ષથી માનસિક રોગથી પીડાતા હોવાથી દવા ચાલતી હતી. તકલીફના કારણે આઠ માસ પહેલા તેમનું ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન પણ કરવામાં આવ્યો છે. આવા સંજોગોમાં તેમણે પગલું ભર્યું હતું. તેમની પાસેથી મળેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મારી જાતે આત્મહત્યા કરું છું જ્યારે તેમને સંતાનમાં બે પુત્રી છે તેમના પટેલ બોક્સ પેકીંગના કામ સાથે સંકળાયેલા છે. અંગે ઉધના પોલીસે તપાસ આદરી છે.

બીજા બનાવમાં ગોડાદરામાં આસપાસ નજીકમાં નીલકંઠ સોસાયટીમાં રહેતા 76 વર્ષીય કાલુ ધડુક પાટીલ છેલ્લા ત્રણ વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. જેનાથી કંટાળી જઈને તેમણે શુક્રવારે સવારથી બપોર દરમિયાન ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. અંગે ગોડાદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:41 pm IST)