Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

રાજપીપળાનું પૌરાણિક હરસિધ્ધિ માતાજી મંદિર કોરોના મહામારીના કારણે તારીખ 22 એપ્રિલ સુધી બંધ રહેશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદામાં કોરોના ના કેસો વધી રહ્યા છે જેથી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા, સાગબારા તથા રાજપીપળામાં પણ તંત્ર તથા વેપારી મંડળ દ્વારા ગુરુવાર સુધી બજારો સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જેથી કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવી શકાય.
કોરોનાની આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે આવેલા પૌરાણિક હરસિદ્ધિ માતાજી મંદિર તથા કાળકા માતાજી નું મંદિર નો મેળો તથા મંદિર કોરોના મહામારીના કારણે તારીખ ૧૨/૦૪/૨૦૨૧ તારીખ ૨૨/૦૪/૨૦૨૧ સુધી સદંતર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

(11:18 pm IST)