Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

પ્રતાપનગરમાં જમવાનું બરાબર ન બનતા પતિ એ પત્નીને મોતને ઘાટ ઉતરી પતિ ફરાર : પતિ સામે હત્યા નો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં પત્નીને લાકડા થી મારતા તેનું મોત  થતા પોલીસે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતાપનગર ની નવી નગરીમાં રહેતી દક્ષાબેન રતિલાલ વસાવાની ફરિયાદ મુજબ તેની માતા સંગીતાબેન રતિલાલનભાઈ વસાવાએ જમવાનું બનાવ્યા બાદ પિતા રતિલાલ છોટુભાઈ વસાવા જમવા બેઠા બાદ પિતાએ માતાને કહ્યું કે તું એ જમવાનું કેમ બરાબર બનાવ્યુ નથી તેમ કહીં માતા સંગીતાબેન ને પિતા રતીલાલભાઇએ લાકડાથી શરીરે મુઢ માર મારી મારી નાંખી ત્યાંથી રતિલાલ નાસી જતા આમલેથા પોલીસે રતિલાલ વિરુદ્ધ હત્યા નો ગુનો દાખલ કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(10:32 pm IST)