Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રાત્રી કર્ફ્યુ દરમ્યાન પિત્ઝાની ડિલિવરી આપી રહેલ રેસ્ટોરંટના સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં કર્ફ્યુ દરમિયાન પિત્ઝા ની ડિલિવરી આપી રહેલા રેસ્ટોરન્ટના સંચાલક સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

કારેલીબાગમાં રાત્રી બજાર ની સામે આવેલા લા પીનોઝ પીઝા માં મોડી રાત્રે કર્ફ્યુ દરમિયાન ગ્રાહકો ડિલીવરી લેવા ઉભા હોવાની વિગતોના પગલે કારેલીબાગ પોલીસે તપાસ કરી હતી.

આ વખતે પિત્ઝા પાર્લર અડધું શટર પાડી ને ચાલુ રાખવામાં આવ્યું હોવાનું જણાઇ આવતાં પોલીસે તેના સંચાલક વિશાલ લીલાધર ઠક્કર (શુકુન ફ્લેટ,અમિત નગર સર્કલ પાસે,કારેલીબાગ) સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(5:18 pm IST)