Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ખેરાલુ-અંબાજી હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત: છ ગંભીર

અકસ્માતનો ભોગ બનનાર પરિવાર બાલાસિનોરનો રહેવાસી:અંબાજી જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો

અમદાવાદ : ખેરાલુ-અંબાજી હાઇવે પરના કાદરપુર પાટીયા નજીક ગંભીર અક્સ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. જેમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ઓવરલોડિંગ કપચી ભરેલી ટ્રકે કારને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાતા છ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જયારે કારમાં દટાઈ ગયેલા ઘાયલોને એક કલાકની મહેનત બાદ કારનો દરવાજા કાપીને બહાર નીકાળાયા હતા. મળતી માહિતી મુજબ, તમને જણાવી દઇએ કે અકસ્માતનો ભોગ બનનાર પરિવાર બાલાસિનોરનો રહેવાસી છે. તેઓ જ્યારે અંબાજી જતા હતા ત્યારે તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો

(11:27 pm IST)