Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

બારડોલી : કોરોનાથી વધુ એક સહકારી આગેવાન ભગુભાઈ પટેલનું નિધન

બારડોલી : બારડોલી પ્રદેશ કેળવણી મંડળના પ્રમુખ તેમજ ગુજરાત ખેડૂત સમાજના માજી પ્રમુખ સહિત વિવિધ સામાજિક સહકારી અને શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા ભગુભાઈ રામભાઇ પટેલ (ઇસરોલી) નું કોરોનાથી નિધન થયું છે. તેમના નિધનથી સહકારી તેમજ સામાજિક ક્ષેત્રમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

બારડોલી તાલુકાના ઇસરોલી ગામે રહેતા ભગુભાઈ રામભાઇ પટેલ (ઉ.વ.81) કે જેઓ બારડોલી પ્રદેશ કેળવણી મંડળના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમજ મઢી સુગરના માજી ઉપપ્રમુખ અને સુમુલ ડેરીના માજી ડિરેક્ટર અને ગુજરાત ખેડૂત સમાજના માજી પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. સાથોસાથ તેઓ વિવિધ સામાજિક તેમજ રાજકીય અને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ હતા. તેમની તબિયત બગાડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને કોરોનાંના લક્ષણો દેખાતા તેમને સારવાર માટે હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામા આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન આજરોજ નિધન થયું છે. તેમના નિધનના સમચાર મળતા જ બારડોલી પંથક તેમજ સહકારી તેમજ સામાજિક ક્ષેત્રમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

(11:52 am IST)