Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

નર્મદા જિલ્લામાં ગુરુવારે નવા ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : જિલ્લામાં પોઝિટિવ નો કુલ આંક ૫૧૭ થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલમાં કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં વધતું જોવા મળી રહ્યું છે ગુરુવારે નર્મદામાં ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળાના ભાટવાડા-૧, કસ્બાવાડ- ૧,સ્ટેશન રોડ-૧ રામબાગ સોસાયટી-૧ મળી કુલ ૪ પોઝિટિવ દર્દી નોંધાયા છે જ્યારે ગરુડેશ્વરના વાગડીયા માં-૧ તેમજ ડેડીયાપાડા ના રાખસકુંડી માં-૨ સાગબારા તાલુકાના ગોડદા-૧,અમિયાર-૧ અને ઘોડાદેવી-૧ મળી જિલ્લા માં કોરોના ના કુલ ૧૦ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
  રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૨૪ દર્દી દાખલ છે આજે ૧૪ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૪૫૪ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૫૧૭ પર પોહોચ્યો છે આજે વધુ ૩૭૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(6:25 pm IST)