Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસ જેટની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી બાદ મુસાફરો કલાકો સુધી રઝળ્યા અમદાવાદથી

અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટના છેલ્લા 3 કલાકથી મુસાફરો રઝળી રહ્યા હોવાનું સામે આવ્યુ

અમદાવાદ :  ટેક્નિકલ કારણોસર ફ્લાઈટ મોડી પડી હોવાના સમાચાર તો અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે હાલ અમદાવાદમાં એરપોર્ટ પર અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટના છેલ્લા 3 કલાકથી મુસાફરો રઝળી રહ્યા હોવાનું સામે આવ્યુ છે.

મળતી માહીતી મુજબ મુસાફરોને પ્લેનમાંથી ઉતારીને બસમાં લઈ જવામાં આવ્યા. સાથે જ સ્પાઇસજેટના કોઈ પણ અધિકારી જવાબ ન આપતા હોવાનો મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ પ્રવાસીઓને ટર્મિનલમાં રાહ જોવાનું કહેવામાં આવ્યુ છે. પરંતુ બીજી ફ્લાઈટ ક્યારે આવશે તેની કોઈ ચોક્કસ માહીતી ન હોવાથી મુસાફરો પણ મુંઝવણ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત નાના બાળકો સાથે હોય એરપોર્ટ ઓથોરીટી દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોય મુસાફરો ભારે હાલાકિ ભોગવી રહ્યા છે.

(1:09 am IST)