Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

રાજપીપળાથી વડોદરાને જોડતો પોઇચા બ્રિજ ફોર વ્હીલ વાહનો માટે પણ બંધ કરાયો હોવાનો મેસેજ ખોટો

ચારેક દિવસ પહેલા ભારદારી વાહનો માટે પુલ બંધ કરાયો હતો પરંતુ હાલ ફોર વ્હીલ પણ બંધ કરાયો હોવાની વાત સોસીયલ મીડિયામાં ફરતી થઈ એ ખોટી હોવાનું જાણવા મળ્યું છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાથી વડોદરા જતા શોર્ટકટ પોઇચા પુલમાં ક્ષતિ સર્જાતા ચારેક દિવસ પહેલા ભારદારી વાહનો માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો જેના કારણે એસટી બસો સહિતના મોટા વાહનોને વાયા ગરુડેશ્વર થઈ લાંબો ફેરાવો થતો હતો માટે લોકો ફોરો વ્હીલમાં જવાનું પસંદ કરતાં હતાં પરંતુ હાલ આ પુલ પરથી ફોર વ્હીલ વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી હોવાનો સોસીયલ મીડિયામાં ફરતો થયેલો મેસેજ ખોટો છે અને પોઇચા બ્રિજ ફક્ત ભારદારી મોટા વાહનો માટે જ બંધ કરાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.માટે ફોર વ્હીલ વાહનો રાબેતા મુજબ ચાલુ જ છે.

(10:43 pm IST)