Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

રાજ્યમાં કોરોના સંદર્ભે તહેવારો દરમિયાન તબીબો અને આરોગ્ય કર્મચારીઓની રજાઓ મંજુર નહીં કરવા આદેશ

અમદાવાદ :રાજયમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ તેમજ આગામી તહેવારો દરમ્યાન લોકોની વધનાર અવરજવરને કારણે કોરોના સંક્રમણ વધુ ફેલાવાની શક્યતાને ધ્યાને લેતાં કોઇપણ તબીબો કે આરોગ્ય કર્મચારીઓની રજાઓ સામાન્યતઃ મંજુર કરવામાં આવશે નહીં તેમ આરોગ્ય કમિશનરશ્રી ની યાદીમાં જણાવ્યું છે. યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ અનિવાર્ય સંજોગોમાં કે માંદગીના કિસ્સામાં રજા મંજુર કરવાની હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી જ રજા મંજુર કરાશે. કોઇ અધિકારી- કર્મચારીએ પૂર્વમંજુરી વિના ફરજનું મથક ન છોડવા પણ સુચના આપવામાં આવી છે.

(5:51 pm IST)