Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

દીપાવલી અને નૂતન વર્ષના પાવન પર્વે રાજ્યના નાગરિકોને હાર્દિક શુભકામના પાઠવતા રાજ્યપાલ

નૂતન વર્ષ સમાજમાં સમાજમાં પ્રેમ, શાંતિ, પરસ્પર સંવાદિતાને વધુ મજબુત બનાવશે

અમદાવાદ : ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે પ્રકાશપર્વ દીપાવલી અને નૂતન વર્ષના પાવન અવસરે રાજયના તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

 તેમણે શુભકામના સંદેશમાં જણાવ્યું છે કે દીપાવલી પર્વ સુખ-શાંતિ અને સમૃધ્ધિ લાવનાર અગ્રદૂત બની રહેશે

 . રાજયપાલશ્રીએ કામના કરી છે કે નવા અરમાનો અને નવી આશાઓ સાથેનું આ નૂતન વર્ષ સમાજમાં સમાજમાં પ્રેમ, શાંતિ, પરસ્પર સંવાદિતાને વધુ મજબુત બનાવશે તેમજ રાષ્ટ્ર અને રાજયને ઉન્નતિના નવા શિખરો સર કરાવનારું બની રહેશે

(7:03 pm IST)