Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : :નવા 1152 કેસ નોંધાયા : વધુ 1078 દર્દીઓ સ્વસ્થ થયા:કુલ કેસનો આંક 1,86,116 થયો :કુલ 1,69,936 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 6 લોકોના મોત : મૃત્યુઆંક 3791 થયો

અમદાવાદમાં 219 કેસ ,સુરતમાં 186 કેસ, વડોદરામાં 131 કેસ, રાજકોટમાં 133 કેસ,મહેસાણામાં 74 કેસ ગાંધીનગરમાં 51 કેસ,બનાસકાંઠામાં 46 કેસ,પાટણમાં 32 કેસ, ભરૂચમાં 28 કેસ,જામનગરમાં 24 કેસ,દાહોદમાં 19 કેસ, આણંદમાં 18 કેસ નોંધાયા :રાજ્યમાં હાલ 12,389 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : કોરોના વાયરસ ધીમો પડતો હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી  અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં કોરોનાંથી વધુ 1078 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં 1152 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3791 પર પહોંચ્યો છે

  . રાજ્યમાં હાલ 12,389 એક્ટિવ કેસ છે, જ્યારે 1,69,936 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 73 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,316 લોકો  સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,86,116 સુધી પહોંચી છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગરમાં 1,પાટણમાં 1,સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 6 લોકોના  મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 1152 કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 219 કેસ ,સુરતમાં 186 કેસ, વડોદરામાં 131 કેસ, રાજકોટમાં 133 કેસ,મહેસાણામાં 74 કેસ ગાંધીનગરમાં 51 કેસ,બનાસકાંઠામાં 46 કેસ,પાટણમાં 32 કેસ,ભરૂચમાં 28 કેસ,જામનગરમાં 24 કેસ,દાહોદમાં 19 કેસ, આણંદમાં 18 કેસ નોંધાયા છે

 આજે રાજ્યમાં 53,967 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 67,34,467 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં રિકવરી રેઈટ 91,31 ટકા થયો છે

(6:56 pm IST)