Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સ્વાતંત્ર્ય સેનાની પુજ્ય શાંતિદાદાને ૧૭મી પુણ્ય તિથીએ સાણંદ દાદાગ્રામ આશ્રમશાળામાં સમાધી સ્થળે શ્રદ્ધાંજલિ અપાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : સાણંદ તાલુકામાં ગાંધી વિચાર ને જીવંત રાખી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી ગરીબ પછાત બાળકો માટે સંસ્કાર પરિવાર શિક્ષણ સંકુલના પ્રણેતા સ્થાપક સ્વાતંત્ર્ય સેનાની પુજ્ય શાંતિદાદા ને ૧૭ મી પુણ્ય તિથી એ દાદાગ્રામ આશ્રમશાળા માં આવેલ સમાધી સ્થળે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો. આ કાર્યક્રમ માં પૂજ્ય દાદા એ સ્થાપેલી સંસ્થા ના મંત્રી જેસીંગજી ઠાકોર, ટ્રસ્ટી ગૌતમ રાવલ સંસ્થાના કર્મચારીઓ આશ્રમ શાળાના આચાર્ય મહેન્દ્રભાઇ તથા ગૃહપતિ નાનુભાઇ ખાદી કેન્દ્રના મેનેજર બાલાભાઇ,બ્રહ્મ સમાજના અગ્રણી અજય જોષી તથા લાયન્સ ક્લબ પ્રમુખ વિપુલભાઇ ઠાકોર તથા અપના બજાર ના વિષ્ણુભાઇની હાજરીમા પુષ્પાંજલિ કરવામા આવી હતી. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

 

(5:08 pm IST)