Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

વિરમગામમાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા)વિરમગામ: અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં બંધારણના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકરની જન્મ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ શહેરમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓવરબ્રિજ પાસે અને ભરવાડી દરવાજા પાસે બાબા સાહેબની છબીને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી

  આ કાર્યક્રમમાં વજુભાઇ ડોડીયા, ચેતનભાઇ રાઠોડ, નવદીપભાઇ ડોડીયા, મહેશભાઇ પરમાર ,હિતેશભાઇ મુનસરા, દિલીપભાઇ ધાધલ, હાર્દિકભાઇ રાઠોડ, સુરેશભાઇ ઠાકોર, અમરાભાઇ પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(6:00 pm IST)