Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

અમદાવાદમાં ભગવાન જગન્‍નાથજીની જળયાત્રા

અમદાવાદ :  ભગવાન જગન્‍નાથજીની રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂનમના જળયાત્રા યોજવામાં આવતી હોય છે. ત્‍યારે અદાવાદમાં જલમાલપુર ખાતેના શ્રી જગન્નાથજી મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી જળયાત્રા યોજવામાં આવી હતી. બેન્‍ડની સુરાવલી અને શણગારેલા હાથી સાથેની આ મીની રથયાત્રામાં અખાડાના સાધુ સંતોએ કેટલાક કરતબો પણ રજુ કર્યા હતા. જય રણછોડ માખણ ચોરના નાદો ચોમેર ગુંજી ઉઠયા હતા. ૧૦૮ કળશ ભરી લાવી ભગવાનને જળાભિષેક કરાવાયો હતો. (તસ્‍વીર : કેતન ખત્રી, અમદાવાદ) 

(5:12 pm IST)