Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

રાજપીપળા સિંધીવાડ માં કોરોના રસિકરણનો 100 થી વધુ લોકોએ લાભ લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં કોરોના રસિકરણની કામગીરી ચાલતી હોય શહેરના સિંધીવાડ વોર્ડ નં.5માં કોરોના વેક્સિન નું આયોજન વોડ નંબર 5ના કોર્પોરેટરો દ્વારા અરબાઝભાઈ બલુચીના ઘરે રાખવામાં આવ્યું  તેમાં મુસ્લિમ સમાજના ૧૦૦થી વધુ ભાઈ, બહેનોએ કોવીડ વેક્સિનનો લાભ લીધો હતો. રસીકરણનું આયોજન વોર્ડ નંબર 5ના કોર્પોરેટર પ્રગ્નેશકુમાર રામી અને સપનાબેન વસાવા દ્વારા ગોઠવવામાં આવ્યું હતું,આરોગ્ય વિભાગના ડોક્ટર કશ્યપ તથા ડોક્ટર ચૌધરીને વોડ નંબર પાંચના કોર્પોરેટરની રજૂઆતથી કોરોના વેક્સિનેશન નું આયોજન કરાયું હોવાનું કોર્પોરેટર દ્વારા જાણવા મળ્યું છે.

(10:44 pm IST)