Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

ભારત માતાની જય સાથે SGVP ઇન્ટરનેશનલ સ્કુલના 1200 વિદ્યાર્થીઓ દ્વારા ગુરુકુલ પરિસરમાં નીકળેલી ભવ્ય ત્રિરંગા યાત્રા

અમદાવાદા તા.14 દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતા, આઝાદીના અમૃત વર્ષ પર્વ પ્રસંગે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ  ઘેર ઘેર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાની ઘોષણા કરીછે ત્યારે શાસ્ત્રી માધવપ્રિચદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વપ્રતિષ્ઠાનમ્ ઇન્ટરનેશનલ સ્કુલના શિક્ષકો સહિત 1200 વિદ્યાર્થીઓ, દર્શનમ્ સસ્કૃત મહાવિદ્યાલયના 200 ઋષિકુમારો ભારત માતાની જયના નારા સાથે ગુરુકુલ પરિસરમાં ત્રિરંગા યાત્રા કાઢી હતી. જેમા ગુરુકુલના કોઠારી સ્વામી.કુંજવિહારીદાસજી સ્વામી તેમજ ઇન્ટરનેસનલ સ્કુલના  પ્રિન્સીપાલ સહિત તમામ શિક્ષકો અને પાઠશાલાના શિક્ષકો જોડાયા હતા. અને ગુરુકુલ દરવાજા પાસે વિશાળ ફરકી રહેલ ધ્વજ પાસે રાષ્ટ્ર્ ગાન કરી, ભારત માતાની જય બોલાવી હતી.  

 

(12:43 pm IST)