Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

રાધનપુરના કલ્યાણપુરા નજીક કચ્છ તરફ આવતી કારને ગમખ્વાર અકસ્માત : ત્રણ લોકોના મોત

કારચાલકે કાબુ ગુમાવતા ખેતર તરફ જતા ખેડૂતો પર કાર ફરી વળી.

પાટણના રાધનપુરના કલ્યાણપુરા નજીક કાર અકસ્માત સર્જાયો છે. જેમાં કારની અડફેટે 3 વ્યક્તિઓના મોત થયા છે. કચ્છ તરફથી આવતી કારે ગંભીર અકસ્માત સર્જ્યો છે. કારચાલકે કાબુ ગુમાવતા ખેતર તરફ જતા ખેડૂતો પર કાર ફરી વળી. જેના લીધે 3 વ્યક્તિઓના મોત નિપજ્યાં છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે  રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસથી સતત આવી અકસ્માતની ઘટનાઓ વધતી જઇ રહી છે. ત્યારે એક વાર ફરી અકસ્માતની ઘટના ઘટી છે. જેમાં 3ના મોત નિપજ્યાં છે.

(11:23 am IST)