Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

જગન્નાથજી મંદિરે મસ્તક નમાવતા અમિતભાઇ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દરવર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે  અમદાવાદ આવ્યા છે, ત્યારે આજે તેમણે જગપ્રસિદ્ધ જગન્નાથજીના  મંદિરમાં દર્શન કર્યા હતા.  જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં અમિતભાઈએ ભગવાનના આશીર્વાદ લઈને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે નિવાસસ્થાને પ્રયાણ કરેલ.

(3:37 pm IST)