Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ગળતેશ્વર તાલુકાના સનાદરામાં રહેતા બે પરિવારો ખોટા વહેમ રાખવાના મુદ્દે ઝઘડતા સામસામે હુમલામાં 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગળતેશ્વર:તાલુકાના સનાદરામાં રહેતાં બે પરિવારો વચ્ચે મહિલા ઉપર ખોટો વ્હેમ રાખવા મુદ્દે ઝઘડો થયો હતો. જે ઉગ્ર બનતાં બંને પરિવારો બાખડી zપડ્યાં હતાં. અને ઉશ્કેરાયેલા બંને પરિવારોએ એકબીજા પર પથ્થર તેમજ લાકડીઓ વડે હુમલો કરતાં બંને પક્ષોના કુલ ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે સેવાલિયા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના સનાદરામાં આવેલ પટેલવાડામાં રહેતાં અનીષાબીબી સલીમખાન પઠાણ ગતરોજ બપોરના સમયે જમી-પરવારી ઘરમાં બેઠાં હતાં. તે વખતે ગામમાં જ રહેતાં કાસમખાન ઉમરાવખાન પઠાણ એકાએક તેમના ઘરે આવી ચડ્યાં હતાં. અને તમારા ભત્રીજાઓ મારી પુત્રવધૂઓ ઉપર ખોટો વ્હેમ કેમ રાખે છે તેમ કહી ઠપકો આપવા લાગ્યાં હતાં. બંને વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બનતાં કાસમખાન ઉશ્કેરાઈ જઈ અનીષાબીબીને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. કાસમખાનના પુત્રો શાહરૂખખાન અને અફઝલખાન ત્યાં આવી પહોંચ્યાં હતાં. અને તેઓએ અનીષાબીબી અને તેમના ભત્રીજા બુરહાદ્દીનને પથ્થર મારી ઈજા પહોંચાડી હતી.

(5:10 pm IST)