Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

રાજપીપળા સ્થિત રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન કાર્યાલયથી નિધિ અભિયાનની શરૂઆત

((ભરત શાહ દ્વારા) રાજપીપળા :શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા ના રાજપીપળા સ્થિત શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન કાર્યાલયમાં આજથી નિધિ સમર્પણ અભિયાનની શરૂઆત કરતાં નર્મદા જિલ્લાના કથાકાર એવા શ્રી વિરંચી પ્રસાદ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તથા તેમની સાથે રાજપીપળા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી સિદ્ધેશ્વર સ્વામી અને સતકેવલ સાહેબ સંત નિશ્ચલ દાસ અને બોરીયા વાલ્મિકી આશ્રમના સંત શ્રી કમલાકર મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.અને હિન્દુ સમાજને નિધિ અભિયાન માં જોડાવા માટે આહવાહન કરવામાં આવ્યું હતું નિધિ સમર્પણ અભિયાનના પ્રથમ દિવસે જ ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા તરફથી એક લાખ રૂપિયાનું દાન મળ્યું તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી સ્વામી સંત શ્રી સિદ્ધેશ્વર સ્વામી રાજપીપળા સ્વામિ નારાયણ મંદિર તરફથી ૫૧,૦૦૦ નું દાન મળ્યું અને આ સંતોએ ધર્મ પ્રેમી જનતાને આ ધર્મ કાર્ય માં જોડાવવા અને નિધિ બને તેટલી વધારે આપી શ્રી રામનું આ કાર્ય પૂર્ણ કરો એવું આહવાહન કર્યું હતું.

(11:48 pm IST)