Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

સાણંદના મોરૈયા ગામે માતા અને બે પુત્રોના તળાવમાં ડૂબી જવાથી કમકમાટી ભર્યા મોત

એક બાળકને ડૂબતો જોતાં તેને બચાવવા માટે બીજો બાળક અને તેની માતા પણ તળાવમાં પડ્યા હતા: ત્રણેયના તળાવમાં ડૂબવાથી મૃત્યુ

અમદાવાદ: જિલ્લાના સાણંદના મોરૈયા ગામે તળાવમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે.આ સમગ્ર દુર્ઘટનામાં માતા અને બે બાળકો ડૂબ્યા હતા. તેમજ તેમના પાણીમાં ડૂબી જવાથી અવસાન થયું છે.

 ઘટનાની વિગત મુજબ એક બાળક પતંગ પકડવા જતાં તળાવમાં ડૂબી રહ્યું હતું. જ્યારે આ બાળકને ડૂબતો જોતાં તેને બચાવવા માટે બીજો બાળક અને તેની માતા પણ તેમને બચાવવા માટે તળાવમાં પડ્યા હતા. જો કે આ બંને પણ પ્રથમ બાળકને બચાવી શકયા ન હતા.

જો કે કમનસીબે ત્રણે લોકોના તળાવમાં ડૂબવાથી મૃત્યુ થયા છે.આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમણે આઅ મૃતદેહને બહાર કાઢ્યા હતા.

(10:38 pm IST)