Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ગુજરાતમાં મુખ્યમંત્રી દ્વારા ધોરણ 1 થી 12નું શેક્ષણિક કાર્ય (પરોક્ષ) બંધ રાખવાનો હુકમ અને શિક્ષણ વિભાગનો ધો.12 વિજ્ઞાન પ્રવાહની કોમ્પ્યુટર ની પરીક્ષા લેવાનો હુકમ થી વિવાદ સર્જાની નોબત આવશે

મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગના આદેશથી આચાર્યો મુંજવણ માં મુકાયા

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની વણસતી જતી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આજે ધો.10 અને 12ની પરીક્ષા મોકૂફ રાખી છે. તેની સાથે ધો.1થી 12ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી તા.10મી મે સુધી અથવા રાજય સરકાર દ્વારા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. બીજીતરફ આજે જ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દરેક શાળાઓને ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની કોમ્પ્યુટર પ્રાયોગિક વિષય પરીક્ષા લઇને તેના ગુણ 15મી મે સુધીમાં બોર્ડની વેબસાઇટ પર મૂકી દેવાની સૂચના જારી કરી છે. આમ બે અલગ અલગ વાતોથી શાળાના આચાર્યો મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકાયા છે.

મુખ્યમંત્રીના આદેશ પ્રમાણે બીજો હુક્મ ના થાય ત્યાં સુધી ધો.1થી 12ના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાના નથી. બીજીબાજુ બોર્ડ કોવિડ 19ની એસ.ઓ.પી.ને ધ્યાનમાં લઇને અનુકુળતાએ પરીક્ષા લઇને ગુણ વેબસાઇટ પર 15મી મે પહેલાં અપલોડ કરવાનું કીધું છે. તો મુખ્યમંત્રીએ કીધું તે એસ.ઓ.પી. જ છે તો અમારે કઇ એસ.ઓ.પી.નું પાલન કરવું

ગુજરાતમાં કોરોનાના કાળો કેર વર્તાવ્યો છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં ધો.10 અને 12ની પરીક્ષા સ્થગિત રાખવાનો આજે નિર્ણય જાહેર કર્યો છે તેની સાથોસાથ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતા જાહેર કર્યું છે કે સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10 મીમે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

ત્યાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ નિયામક ( પરીક્ષા ) જે.જી. પંડયાએ રાજયની શાળાના આચાર્યોને એક સરકયુલર મોકલ્યો છે. જેમાં જણાવ્યું છે કે, ધો.12 ( વિજ્ઞાન પ્રવાહ )ના પરીક્ષાર્થીઓની શાળા કક્ષાના પ્રાયોગિક વિષય કોમ્પ્યુટર વિષયની પ્રાયોગિક પરીક્ષા શાળા કક્ષાએથી શાળા દ્વારા પોતાની અનુકુળતા મુજબ લેવાની સૂચના 19-3-21ના પત્રથી આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓની કોમ્પ્યુટર પ્રાયોગિક વિષયની પરીક્ષા પૂર્ણ થયેલ છે તેવા તમામ પરીક્ષાર્થીઓની કોમ્પ્યુટર પ્રાયોગિક પરીક્ષાના ગુણ બોર્ડની વેબસાઇટ પરથી શાળા દ્વારા તા.15મી એપ્રિલથી 15 મે દરમિયાન ઓનલાઇન ભરવા જણાવ્યું છે.

આ ઉપરાંત પરીક્ષાર્થીઓના ગુણ પરીક્ષાર્થીઓના માર્ચ -2021ની પરીક્ષાના આવેદનપત્રોના અરજી નંબર અથવા નામના આધારે ભરવાના રહેશે. તેમ જ જે શાળા દ્વારા આજ દિન સુધી કોમ્પ્યુટરની પ્રાયોગિક વિષયની પરીક્ષાનું આયોજન કર્યું ન હોય તેવી શાળાઓએ પણ સરકારની વખતો વખતની કોરોના સંદર્ભે આપવામાં આવતી સૂચનાઓને ધ્યાનમાં લઇ તથા અનુકુળતાએ પરીક્ષા લઇ લેવાની રહેશે અને ગુણ વેબસાઇટ પર અપલોડ કરવાના રહેશે.

આ પરિપત્ર અંગે શાળાના આચાર્યોએ જણાવ્યું છે કે, કોમ્પ્યુટરની પરીક્ષા ઓનલાઇન નહીં બલ્કે ઓફલાઇન લેવી પડે. તેના માટે વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાની ફરજ પડે. ત્યારે મુખ્યમંત્રીએ ધો.1થી 12ના વિદ્યાર્થીઓને શાળાએ નહીં બોલાવવા જણાવ્યું છે. તેનાથી અમે દ્રિધાભરી સ્થિતિમાં મૂકાયા છીએ.

(8:07 pm IST)