Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

અમદાવાદના બાપુનગરમાં મકાન ખાલી કરાવવાની ધમકી આપી ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુધ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરના બાપુનગરમાં યુવકોને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇને પડોશીને મકાન ખાલી કરવાની ધમકી આપીને મકાનમાં તોડફોડ કરી હતી. એટલું જ નહી મકાન ખાલી કરીને જતા રહેજો નહીતર આખા પરિવારને ખતમ કરીશું તેવી ચીમકી પણ આપી હતી. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે બાપુનગરમાં મ્યુનિસિપલ સ્કૂલ પાસે તિજોરીના કારખાના પાસે શુભલક્ષ્મી રહેતા સાગરભાઇ.બી. અમદાવાદીએ પડોશમાં રહેતા કુણાલ ઉર્ફે બટકો દિનેશભાઇ તાયડે તથા આકાશ ઉર્ફે રાજા શ્યામપ્રસાદ ચતુર્વેદી સામે ફરિયાદ નોધાવી છે કે આરોપીઓ ફરિયાદીને ઘર આગળ બેસીને અંદરો અંદર ગાળો બોલતા હતા, જેથી ફરિયાદી તેઓને ગાળો બોસવાની ના પાડીને તેમની સામે પોલીસમાં ફરિયાદ કરવાની વાત કરી હતી. જેથી આરોપીઓ કહ્યું કે તારાથી જે થાય તે કરી લે જે, વધારે પંચાત કરશો તો જાનથી મારી નાંખીશું, ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે કુણાલ અને આકાશના ત્રાસથી સ્થાનિક લોકો મકાનો વેચીને જતા રહે છે.

(5:04 pm IST)