Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

વલસાડ જિલ્લામાં આજે પણ ૧૦૭ નવા કેસો : ૫ દર્દીઓના મોત : ૧૨૦ દર્દીઓ થયાં કોરોના મુકત

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : વલસાડ જિલ્લાના તાલુકાઓમાં આજે પણ કોરોનાનો તરખાટ યથાવત છે.૧૦૭ નવા કેસોની સામે ૫ દર્દીઓના કરુણ મોત નીપજ્યા છે
  જીલ્લાના તાલુકા માં આજે એટલે કે ૧૫ મી મે નાં રોજ વલસાડ ૫૮, પારડી ૮, વાપી ૨, ઉમરગામ ૩૧, ધરમપુર ૩, અને કપરાડા ૫ મળી કુલ ૧૦૭ નવા કેસો આવેલ છે.
 જોકે આજે ૧૨૦ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે, જીલ્લા માં હાલ ૧૦૩૬ દર્દી ઓ હાલ સારવાર હેઠળ છે.

(7:49 pm IST)