Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે રૂપાણી સરકાર સજ્જઃ બપોરે ૩ વાગ્‍યે પત્રકાર પરિષદમાં મહત્‍વની જાહેરાતો

અમદાવાદઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે રાજ્‍યની રૂપાણી સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી હોવાનું જાણવા મળે છેઃ આ તૈયારીઓની વિગતો બપોરે ૩ વાગ્‍યે સીએમ રૂપાણી, ડે. સીએમ પટેલ અને ચીફ સેક્રેટરી એક પત્રકાર પરિષદમાં જાહેર કરશે તેવું જાણવા મળે છેઃ આઈસીયુ બેડ, ઓકિસજન સહિતની વ્‍યવસ્‍થા સરકારે કરી લીધી છેઃ દર્દીઓને દોડાદોડી કરવી ન પડે તેની અત્‍યારથી કાળજી રાખવામાં આવી રહી છે અને એ સંદર્ભે તૈયારી કરવામાં આવી રહી છેઃ રાજ્‍ય સરકાર ઈચ્‍છે છે કે, સંભવિત ત્રીજી લહેરમાં ઓછામાં ઓછા મૃત્‍યુ થાય અને વધુમાં  વધુ દર્દીઓ સાજા   થાય તેવા પ્રયાસો રહેશેઃ અગાઉની લહેરોથી બોધપાઠ લઈ સરકારે પાણી પહેલા પાળ બાંધી છે

(11:38 am IST)