Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

દાહોદના ધાનપુર પાસે એસ.ટી બસે બાઇકને અડફેટે લેતાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત

આબલીમેનપુર ગામના ત્રણ યુવાનો ની અર્થીઓ એક સાથે ઉઠતા પરિવાર મા હૈયાફાટ રુદન

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામમાં બસ અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા મોટરસાયકલ પર સવાર ત્રણ યુવાનોના કમાટી ભર્યા મોત નિપજતા સમગ્ર ગામમાં શોકમગ્ન બન્યું હતું ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામના યુવાનો મુકેશભાઈ દશરથભાઈ પલાસ, વિપુલભાઈ મનુભાઈ બારીઆ અને પ્રવિણભાઇ છગનભાઇ પલાસ મોટરસાયકલ હીરો ડિલક્સ નં જીજે ૨૦એએલ ૨૪૩૮ લઈને સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં પિપેરો થી પોતાના ગામમાં આબલીમેનપુર જઈ રહ્યા હતા. ગામમાં પહોચતા દાહોદ થી ધાનપુર તરફ આવતી બસ નં જીજે ૧૮ ઝેડ ૧૩૨૧ વચ્ચે સામસામે ભટકાતા ત્રણ યુવાનો ફંગોળાઈને રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેમાં મોટરસાયકલ પર સવાર મુકેશભાઈ નુ સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતુ. મોટરસાયકલ પર સવાર બીજા બે યુવાન ને ગંભીર ઇજા પહોચવા પામતા ગોધરા સારવાર અર્થે લઈ જતાં રસ્તામાં વિપુલભાઈ મનુભાઈ બારીઆ નુ મોત નિપજ્યું હતું. જયારે પ્રવિણભાઇ છગનભાઇ પલાસ નુ ગોધરા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મોડીરાત્રે ગામના ત્રણ યુવાન ના મોત ના સમાચાર મળતા સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી. આજરોજ આબલીમેનપુર ગામના ત્રણ યુવાનો ની અર્થીઓ એક સાથે ઉઠતા પરિવાર મા હૈયાફાટ રુદન અને સમગ્ર ગામમાં શોકગ્રસ્ત બન્યું હતું. ધાનપુર પોલીસ અકસ્માત સંબધી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(12:37 pm IST)