Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

નડિયાદના લખાવડામાં 18 વર્ષીય યુવાને ભૂમેલ બ્રિજ પરથી છલાંગ લગાવી મોતને વ્હાલું કરતા ચકચાર

નડિયાદ: શહેરના લખાવડામાં રહેતો પ્રણવકુમાર ભાટીયા ઉં.૧૮ ઘરેથી એક્ટિવા લઇને નિકળ્યો હતો. થોડીવાર બાદ પ્રણવકુમાર ભૂમેલ બ્રિજ ઉપર પહોચ્યો હતો જ્યા તેને પોતાનુ એક્ટિવા પાર્ક કરી બ્રિજ ઉપરથી નીચે છલાંગ લગાવી હતી. નીચે પડતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ. બનાવની જાણ આસપાસમાં થતા રાહદારીઓ અને વાહન ચાલકો ઉમટી આવ્યા હતા. બીજી તરફ ચકલાસી પોલીસને જાણ કરતા ચકલાસી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતક પ્રણવકુમારની લાશને નજીકના આરોગ્ય કેન્દ્રમાં પી.એમ માટે લઇ જવામાં આવી હતી. બનાવ અંગે મૃતક પ્રણવકુમાર ભાટીયાના મોટાભાઇ સ્મીતકુમારે ચકલાસી પોલીસને જાણ કરતા ચકલાસી પોલીસે .ડી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે સ્થાનિક નાગરિકોમાં ચર્ચાતી વાતો પ્રમાણે પુખ્તવયના પ્રણવકુમારે કેમ બ્રિજ ઉપરથી પડતુ મૂકી જીવન ટુકાવ્યુ છે. પારિવારીક કે કોઇ અન્ય બાબતેને લઇ લાગી આવતા પ્રણવકુમારે પગલુ ભર્યુ હશે તેવી અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જો કે સાચી હકીકત તો પોલીસ તપાસમાં બહાર આવશે તેવુ સ્થાનિક પ્રબુધ્ધ નાગરિકો જણાવી રહ્યા છે.

(6:08 pm IST)