Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

બનાસકાંઠામાં એક સાથે ત્રણ કાર વચ્ચે ટક્કર : બેના મોત

ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફૂરચેફૂરચા ઉડ્યા : દાંતા-પાલનપુર રોડ ઉપર થયેલા અકસ્માતમાં અન્ય લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા

પાલનપુર, તા. ૧૫ : ક્યારેક વહેલા પહોંચવાની લ્હાયમાં ઓવરસ્પીડ કે પછી બેદરકારીથી વાહન હંકારવાને પગલે અકસ્માતો સર્જાતા હોય છે. દેશમાં દરરોજ અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવે છે. અનેક કિસ્સામાં નિર્દોષ લોકો પણ જીવ ગુમાવતા હોય છે. બનાસકાંઠા જિલ્લામાં આજે થયેલા ટ્રિપલ અકસ્માતમાં બે લોકોનાં મૃત્યુ થયા છે. અકસ્માતમાં અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને વિશ્વાસ નહીં કરી શકો કે રીતે કારની ટક્કર થઈ હશે.

મળતી માહિતી પ્રમાણે દાંતા-પાલનપુર રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. થુર કરનાળા પાસે અકસ્માત થયો હતો. ત્રણ ગાડીઓ વચ્ચે ટક્કરમાં બે લોકોનાં મોત થયા છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે અલ્ટો, ઈકો અને એક સ્કોર્પીયો કારની ટક્કરમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અન્ય ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ થઈ શકી નથી. અકસ્માતને પગલે રસ્તા પર લોકોના ટોળે ટોળે ઉમટી પડ્યા હતા. અકસ્માતને પગલે પોલીસને ટ્રાફિકને ડાયવર્ડ કરવાની ફરજ પડી હતી. ત્રણેય કાર વચ્ચે કેટલી જોરદાર ટક્કર થઈ હશે તેનો અંદર તસવીરો પરથી લગાવી શકાય છે. સ્કોર્પીયો અને ઇકો કારને અકસ્માતમાં ખૂબ મોટું નુકસાન થયું હતું.ટક્કર એટલી જોરદાર હતી કે ઈકો કારના આગળના ટાયર નીકળી ગયા હતા અને ઈકો કાર જમીન પર પડી હતી. જ્યારે સ્કોર્પીયો કારના બોનેટના ભાગના ફૂરચા નીકળી ગયા હતા.

અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. લોકોને ૧૦૮ની મદદથી સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં સ્કોર્પીયોના બોનેટના ફૂરચા નીકળી ગયા હતા. ત્રણ કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી.

(7:55 pm IST)