Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

રાજપીપળા પંચવટી ફીડર પર 16 જૂને સવારે 10.30 થી બપોરે 1.30 સુધી વીજપુરવઠો બંધ રહેશે

કાળિયાભૂત તરફ ફોર ટ્રેક રોડ ની કામગીરી ના કારણે બુધવારે પંચવટી 11 કેવી બંધ રખાશે

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : રાજપીપળા શહેરમાં બુધવારને તારીખ 16 જૂને પંચવટી 11 કેવી ફીડર સવારે 10.30 વાગ્યા થી બપોરે 1.30 વાગ્યા સુધી કાળિયાભૂત તરફ ચાલી રહેલી ફોર ટ્રેક માર્ગની કામગીરીના કારણે બંધ રહેશે તેમ વીજ કંપનીના ઈજનેર તરફથી જણાવવા આવ્યું છે. આ ફીડરમાં શીતળામાતા મંદિરથી સિંધીવાડ,દરબાર રોડ, આશાપુરી મંદિર,કસ્બાવાડ સહિતના ઘણા વિસ્તારો માં વીજ પુરવઠો બંધ રહેશે તેમ જાણવા મળ્યું છે.

(11:04 pm IST)